Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

કોંગ્રેસના મહારથીઓ અહમદ પટેલ,ભરતસિંહ સોલંકી,અમિત ચાવડા, પરેશ ધાનાણી ક્યાં બુથ પરથી કરશે મતદાન :વાંચો સમય અને સ્થળ

અમદાવાદ: લોકસભાની ચૂંટણીમાં મતદાન વધારાવા માટે ચૂંટણી પંચ દ્વારા અને દરેક પાર્ટીઓ દ્વારા લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવાના પ્રયત્નો કરાયા છે સવારે સાત કલાકથી મતદાન શરૂ કરી દેવામાં આવશે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ પોતના મતદાન સ્થળ પર મતદાન કરશે

   કોંગ્રેસના દિગજ્જ નેતાઓ અહમદ પટેલ ભરૂચથી મતદાન કરશે વિપક્ષના નેતા પરેશ ધાનાણી, મધુસુદન મિસ્ત્રી, હાર્દિક પટેલ, સી.જે ચાવડા, અર્જુન મોઢવાડિયા, માધવસિંહ સોલંકી, શક્તિસિંહ સોલંકી, સહિતના નેતાઓ વહેલી સવારે મતદાન કરશે. વીવીઆઇપી નેતાઓ દ્વારા મતદાન કરીને લોકોને વધુ મતદાન કરવા માટે પ્રરિત કરશે

ત્રીજા તબ્બકાના મતદાનમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. જેને અનુલક્ષીને ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. સુરક્ષાને ધ્યાને રાખીને પોલીસ દ્વારા પણ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ગુજરાતની તમામ 26 સીટો પર પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે

(12:31 am IST)