Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

વિરમગામ, દેત્રોજ રામપુરા, માંડલ તાલુકા ઠાકોર સમાજનો સ્નેહમિલન સમારંભ યોજાયો

ક્રિશ્ના ધામ રામપુરા ખાતે ઠાકોર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો : સમાજના સંગઠનને મજબૂત બનાવવા માટે હાકલ કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : વિરમગામ, દેત્રોજ રામપુરા, માંડલ તાલુકા ઠાકોર સમાજનો સ્નેહમિલન સમારંભ યોજાયો હતો. ક્રિશ્ના ધામ રામપુરા ખાતે ઠાકોર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો અને ઠાકોર સમાજના સંગઠનને મજબૂત બનાવવા માટે હાકલ કરવામાં આવી હતી. મંગલમય નવા વર્ષમાં ઠાકોર સમાજના સંગઠન શક્તિ દ્વારા સમાજનો સામાજિક શૈક્ષણિક આર્થિક તેમજ અન્ય ક્ષેત્રોમાં પ્રગતિ થાય તેવા શુભ આશય સાથે વિરમગામ માંડલ દેત્રોજ-રામપુરા તાલુકા ઠાકોર સમાજ કટિબદ્ધ રીતે પ્રવૃત્તિમય રહે તેવા ઉમદા હેતુ સાથે સમાજના વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન મળી રહે તેમજ યુવા મિત્રોના સાથ સહકારથી સમાજના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

(9:01 pm IST)