Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

નર્મદામાં કોવિડના સાત મૃતક અસરગ્રસ્તોના પરિવારોને રૂા.૫૦ હજાર લેખે DBT મારફત સહાય ચૂકવાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર ધ્વારા કોવિડ-૧૯ થી મૃત્યુ પામેલ મૃતકોની નર્મદા જિલ્લા વહિવટીતંત્રને પ્રાપ્ત થયેલી યાદી પૈકીના ૭ (સાત) મૃતકના અસરગ્રસ્ત પરિવારોને જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ તા.૨૭ મી નવેમ્બર,૨૦૨૧ ના રોજ પ્રત્યેક મૃતક દિઠ રૂા.૫૦ હજાર લેખે સહાયની રકમ જે તે મૃતકના વારસદારોને DBT મારફત ચૂકવવામાં આવી છે.તેમ ડિઝાસ્ટર મામલતદાર , રાજપીપીપળા તરફથી જણાવા મળ્યું છે.

(11:19 pm IST)