Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

અમદાવાદ નિત્યાનંદ આશ્રમ વિવાદ :ડીપીએસ સ્કુલના મંજુલા શ્રોફ સહીત ટ્રસ્ટીઓની પૂછપરછ કરવા માંગણી

બિલ્ડીંગ પ્રશ્ને પણ તપાસ કરવા યુથ કોંગ્રેસ દ્વારા રેન્જ આઇજીને આવેદન અપાયું

અમદાવાદ નિત્યાનંદ આશ્રમ વિવાદ પેચીદો બની રહ્યો છે ત્યારે યુથ કોંગ્રેસ દ્વારા રેન્જ આઇ જીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. અને માંગ કરવામાં આવી છે. કે ડીપીએસ સ્કુલના ટ્રસ્ટી મંજુલા શ્રોફ અને ટ્રસ્ટીઓની સઘન પૂછપરછ અને તપાસ કરવામાં આવે

 તેમજ  ડી પી એસ સ્કુલ દ્વારા બિલ્ડિંગ બાંધતા પેહલા સરકારી ચોપડે એન એ પરમિશન લેવામાં આવી નહોતી છતાં પણ બિલ્ડિંગ બાંધી દેવામાં આવી છે તેવી રજુઆત પણ કરવામાં આવી છે.

(9:49 pm IST)