Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

વડોદરાના બહુચરાજી સ્મશાનમાં ઘોડા બાંધીને રાખતા હોવાની ફરિયાદ:આરોગ્ય વિભાગને જાણ થતા સિક્યુરિટી એજન્સીને દંડ ફટકારાયો

વડોદરા:શહેરના બહુચરાજી સ્મશાનમાં ઘોડા બાંધીને રાખતા હોવાની ફરિયાદ સ્થાયી સમિતિ અધ્યક્ષ સતીષ પટેલને મળતા તેઓએ આરોગ્ય વિભાગને જાણ કરતાં તે ઘોડા હટાવવામાં આવ્યા હતા જ્યારે સિક્યુરિટિ એજન્સીને દંડ ફટકાર્યો હતો.

બહુચરાજી સ્મશાનમાં છાણા વેચનારા દ્વારા પણ ચિતા નંબર એક પાસે છાણાના ઢગલા કરી દેવામાં આવ્યા હતા. અને તેના કારણે ચિતાનો ઉપયોગ પણ બંધ થઈ ગયો હતો. આ અંગે ગઈકાલે ઘોડા જે તે વ્યક્તિને બોલાવી બહાર કાઢ્યા હતા. જે અંગે રેડિયેન્ટ સિક્યોરિટિ એજન્સીને રૃા.૧૦,૦૦૦નો દંડ ફટકાર્યો છે.

(5:29 pm IST)