Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

રાજ્યમાં કોરોનાના વધુ 1107 દર્દીઓ સાજા થયા : નવા 980 પોઝિટિવ નોંધાયા : વધુ 6 લોકોના મોત : કુલ કેસની સંખ્યા 1,70,053 થઇ :મૃત્યુઆંક 3698 થયો:કુલ 1,52,995 લોકોએ કોરોનાને હરાવ્યો

છેલ્લા એક પખવાડિયાથી નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યા વધુ : આજે સૌથી વધુ સુરતમાં 227 કેસ,અમદાવાદમાં 186 કેસ, વડોદરામાં 113 કેસ,રાજકોટમાં 91 કેસ, ગાંધીનગરમાં 39 કેસ,મહેસાણામાં 32 કેસ, બનાસકાંઠા અને જામનગરમાં 30-30 કેસ, અમરેલીમાં 20 કેસ,પાટણમાં 18 કેસ નોંધાયા : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે રોજ બરોજ પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહયો હતો ત્યારે છેલ્લા પખવાડિયાથી નવા કેસ કરતા સાજા થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે આજે કોરોનાના નવા  980 પોઝીટીવ  કેસ નોંધાયા છે આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 1,70,053  થઇ છે  આજે વધુ 1107 ર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 1,52,995 દર્દીઓ સાજા થયા છે.રાજ્યમાં આજે વધુ 6 લોકોના મોત થયા છે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3704 થયો છે

 અલબત્ત ત રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકળાઓમાં તફાવત યથાવત રહયો છે આજે પણ સ્થાનિક તંત્રના આંકડા અને રાજ્ય સરકારના આંકડા વચ્ચે રોજે રોજે તફાવત  જોવા મળે છે 

  રાજ્યમાં 992 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 6 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3704 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 13,354 છે જેમાંથી વેન્ટીલેટર પર 63  દર્દીઓ છે,જ્યારે 13 291 દર્દીની હાલ સ્ટેબલ છે. રાજ્યમાં રિકવરી રેઈટ  89 97 ટકા થયો છે  રાજ્યમા આજે કોરોનાના 51, 912 ટેસ્ટ કરાયા છે રાજ્યમાં અત્યાર સુધીમાં 58,97,627 ટ્સ્ટ કરાયા છે

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, રાજકોટમાં 1,સુરતમાં 1 , સુરત કોર્પોરેશનમાં 1 મળીને કુલ 6 લોકોના મોત થયા છે   .

  રાજ્યમાં આજે નોંધાયેલ કોરોનાના 980 પોઝિટિવ કેસમાં  સૌથી વધુ સુરતમાં 227 કેસ,અમદાવાદમાં 186 કેસ, વડોદરામાં 113 કેસ,રાજકોટમાં 91 કેસ, ગાંધીનગરમાં 39 કેસ,મહેસાણામાં 32 કેસ, બનાસકાંઠા અને જામનગરમાં 30-30 કેસ, અમરેલીમાં 20 કેસ,પાટણમાં 18 કેસ નોંધાયા છે

(7:02 pm IST)