Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

સુરતના રિંગરોડ પર વેપારી પાસેથી અલીગઢના બે વેપારીઓએ 17.47 લાખની સાડી ખરીદી પેમેન્ટ ન કરતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના રીંગરોડ રઘુકુળ માર્કેટમાં દુકાન ધરાવતા વેપારી સાથે અલીગઢના બે વેપારીઓએ ઠગાઈ આચરી છે. બંને વેપારીઓએ રૂ.17.47 લાખની સાડી ખરીદી નાણા નહીં ચૂકવતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા વેપારીએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વેસુ વી.આઈ.પી. રોડ ખાતે રહેતા કમલકુમાર બનવારીલાલ અગ્રવાલ રીંગરોડ રઘુકુલ માર્કેટમાં કાપડની દુકાન ધરાવે છે. અલીગઢ ખાતે આવેલા આગ્રા રોડ પર રહેતા અને આશીષ સારી કલેકશન ફર્મના માલીક આશીષ મુલચંદ વૈષ્ણવ અને મુલચંદ મુકુંદલાલ વૈષ્ણવએ તેમની પાસેથી વર્ષ 2018 થી વર્ષ 2019 સુધીના સમય ગાળામાં રૂ.17.47 લાખની સાડીનો માલ ખરીદી લીધો હતો અને તેના નાણા બાદમાં આપવા જણાવ્યું હતું

વેપારીએ નાણાની ઉઘરાણી કરતા બંનેએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પેમેન્ટ પણ ચુકવ્યું હતું. કમલકુમારે અંગે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:03 pm IST)