Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

નરેન્દ્રભાઈના કેવડિયા પ્રવાસ પહેલા બંદોબસ્તમાં રહેલા ૭ પોલીસ કર્મચારી કોરોના પોઝિટવઃ તમામને કોરોન્ટાઇન રહેવા સૂચના

છોટાઉદેપુરઃ જિલ્લામાં એક સાથે ૭ પોલીસ કર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રધાનમંત્રીના કેવડિયા ખાતેના કાર્યક્રમમાં બંદોબસ્તમાં જનાર તમામ પોલિસ કર્મીઓએ કોરોના ટેસ્ટ કરાવ્યા છે. આરોગ્ય વિભાગ તરફથી અપાયેલ માહિતી પ્રમાણે પોલીસ કર્મી સહિત જિલ્લામાં આજે ૭૦૦ નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં એક છોટાઉદેપૂર અને ૬ સંખેડાના પોલીસ કર્મીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. પોઝિટિવ આવેલ પોલીસ કર્મીઓને બંદોબસ્તમાં નહીં મોકલાય અને તેમને કોરોન્ટાઇન રહેવા સૂચના આપવામાં આવી છે. જિલ્લામાં કોરોના સંક્રમીતોનો કુલ આંક ૫૯૪ થયો છે. ૩ લોકોએ કોરોનાને લઈ જીવ ગુમાવ્યો છે,તો ૫૩૨ લોકો સાજા થયા છે જયારે ૪૨ દર્દીઓ સારવાર હેઠળ છે.

(12:53 pm IST)