Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

શારદપૂર્ણિમાએ ભક્તો ડાકોર રણછોડરાયજીના કરી શકશે દર્શન : ઓનલાઇન બુકીંગનો પ્રારંભ

ફરજિયાત ઓનલાઈન બુકીંગથી માત્ર 11000 દર્શનાર્થીઓને મળશે લાભ

ડાકોર મંદિર કમિટીએ, આગામી શરદ પૂર્ણિમાએ ભક્તોને રણછોડરાયના દર્શન કરવાની મંજૂરી આપી છે. એટલુ જ નહી, ડાકોર રણછોડરાય મંદિર મેનેજમેન્ટ કમિટી દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ શરદ પૂર્ણિમાથી ભક્તો માટે પૂર્ણિમાના દર્શન ખુલ્લા મૂકવાનો પણ નિર્ણય જાહેર કરાયો છે. કોરોના કાળના 6 માસ બાદ ડાકોરના ઠાકોર ભક્તોને પૂનમના દર્શન આપશે. મંદિર કમિટીએ જાહેર કરેલા નિર્યણ મુજબ ફરજિયાત ઓનલાઈન બુકીંગથી માત્ર 11000 દર્શનાર્થી ભક્તો જ ઠાકોરજીના દર્શન કરી શકશે. ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે આજથી જ મંદિરની વેબસાઈટ www.ranchhodrayji.org ઉપર બુકીંગ શરૂ કરાશે

(12:01 pm IST)