Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

કોંગ્રેસે સરકાર પર આરોપ મૂકવાના બદલે કંઇક નક્કર કરી બતાવવુ જોઈએ

કોંગ્રેસમાં આંતરિક જૂથબંધીથી કંટાળીને આઠ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પ્રહાર

 કરજણઃ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ કરજણની બેઠક પર ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી ચરમસીમાએ પહોંચી છે. આ આંતરિક જૂથબંધીથી કંટાળીને કોંગ્રેસના આઠ વિધાનસભ્યોએ પક્ષમાં રાજીનામા આપ્યા છે.

આજે કોંગ્રેસ પોતે જ પોતાનું નુકસાન કરી રહી છે, કોંગ્રેસ પ્રજાના પ્રશ્નો રજૂ કરવાના બદલે આક્ષેપ કરવામાં ખોટો સમય વ્યતીત કરે છે. તેના આક્ષેપો પણ પાયાવિહોણા હોય છે. હવે પોતાના જ વિધાનસભ્યોને સાચવી ન શકતી કોંગ્રેસ પછી ભાજપ પર કારણ વગરના આરોપો મૂકે છે, વળી પાછા આ આરોપો ચૂંટણી વખતે જ મૂકવામાં આવે છે. પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની હોય ત્યારે કોંગ્રેસ દેખાતી પણ નથી. તેથી કોંગ્રેસે સરકાર પર આરોપ મૂકવાના બદલે કંઇક નક્કર કરી બતાવવુ જોઈએ .

 

(10:59 am IST)