Gujarati News

Gujarati News

News of Monday, 28th October 2019

વડોદરાના જાંબુવા બ્રિજ નજીક શિક્ષકના ઘરને નિશાન બનાવી તસ્કરોએ 11 તોલાના દાગીનાની ઉઠાંતરી કરી: પોલીસ ફરિયાદ દાખલ

વડોદરા: શહેરના જાંબુવા બ્રીજની સામે આયર્ન રેસીડેન્સીમાં રહેતા શિક્ષકના ઘરમાંથી ૧૧ તોલાના સોનાના દાગીનાની ચોરી થઇ હતી. જે અંગે મકરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અંગેની વિગત એવી છે કે, આયર્ન રેસીડેન્સીમાં રહેતા તુષાર નાથાલાલ દેસાઇ પરિવાર સાથે ઉપરોક્ત સ્થળે રહે છે અને ભરૃચમાં ખાનગી સ્કૂલમાં શિક્ષક છે. મકાનના પ્રથમ માળે બેડરૃમમાં લાકડાના કબાટ બનાવ્યા છે. તે કબાટમાં સોનાચાંદીના દાગીના તેઓ મૂકે છે. ગત ૧૯મી તારીખે કબાટના ડ્રોઅરમાં તેમને સોનાના દાગીના જોયા હતા. પરંતુ ૨૫મી તારીખે ધનતેરસના દિવસે પૂજા કરવાની હોય તેમને કબાટમાં જોયુ તો દાગીના ગૂમ હતા. ૧૧ તોલા ઉપરાંતના દાગીના કોણ કઇરીતે લઇ ગયું ? તેની કોઇ જાણ હોય છેવટે  શિક્ષકે ચોરીની ફરિયાદ નોંધાવી છે.

(4:05 pm IST)