Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

કાંકરેજમાં શિહોરી-અરણુવાડા નજીક લોહીયાળ જૂથ અથડામણ: ત્રણના મોત : 10 લોકો ઘાયલ

બે સમાજના લોકો વચ્ચે જૂથ અથડામણ: બંને ગામ પોલીસ છાવણીમાં ફેરવાયા

બનાસકાંઠાના કાંકરેજના ઉંબરી અને અરણુંવાડા ગામના બે સમાજના લોકો વચ્ચે લોહીયાળ જૂથ અથડામણનો મામલો સામે આવ્યો છે. આ જૂથ અથડામણમાં ઘાયલ થયેલ વધુ એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ લોહીયાળ જૂથ અથડામણમાં બે લોકોના મોત બાદ અન્ય એક વ્યક્તિનું મોત થતાં મૃત્યુ આંક 3 ઉપર પહોંચ્યો છે. જૂથ અથડામણને લઈને એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને કાંકરેજનું ઉંબરી અને અરણુંવાડા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે. ગામમાં ફરી કોઇ અઘટીત ઘટના ન બને તે માટે બંને ગામમાં ચુસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.


બનાસકાંઠાના કાંકરેજના શિહોરી-અરણુવાડા નજીક જૂથ અથડામણ થતા બંને ગામડાઓમાં તંગદીલીનો માહોલ છવાઇ ગયો છે. આ અથડામણમાં 3 લોકોના મોત થયા છે ત્યાં જ 10 લોકો ઘાયલ થયા છે. આ લોહીયાળ જૂથ અથડામણ દરબાર અને ઠાકોર વચ્ચે ગૌચર મામલે થઇ હતી. કાંકરેજના ઉંબરીના વિજુભા બબાજી અને અરણુંવાડાના સોમજી ધારાસગજી ઠાકોરનું ઘટના દરમ્યાન મોત નીપજયુ છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે શિહોરી રેફરલ અન્ય લોકોને પાટણ ખસેડાયા ખસેડાયા છે. હાલમાં શિહોરી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે.

(1:11 am IST)