Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

રાજ્યમાં કોરોનાની વિદાય વેળાએ કેસ વધ્યા : નવા 24 પોઝિટિવ કેસ નોંધાયા :વધુ 18 દર્દીઓ સ્વસ્થ થયા : આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી : કુલ મૃત્યુઆંક 10.082 :કુલ 8.15.666 લોકોએ કોરોનાને હરાવ્યો : રાજયમાં આજે વધુ 3.15.813 લોકોનું રસીકરણ કરાયું

સુરતમાં 10 કેસ, વલસાડમાં 4 કેસ, અમદાવાદમાં 3 કેસ, નવસારી અને વડોદરામાં 2-2 કેસ, ગાંધીનગર, જામનગર અને રાજકોટમાં 1-1 કેસ નોંધાયો : હાલમાં 148 એક્ટીવ કેસ : જિલ્લા શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં છે આજે નવા 24 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે આજે વધુ 18 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 24 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 18 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.15.666 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં  કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી ,રાજ્યમાં મૃત્યુઆંક 10082 છે, રાજ્યમાં રિકવરી રેટ 98.76 ટકા થયો છે 

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 3.15.813 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 6.03.36.757 લોકોનું રસીકરણ  સંપન્ન થયું છે

   રાજ્યમાં હાલ 148 એક્ટિવ કેસ છે, જેમાંથી 5 લોકો વેન્ટિલેટર પર અને 143 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8.15.666  ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 24 કેસમાં સુરતમાં 10 કેસ, વલસાડમાં 4 કેસ, અમદાવાદમાં 3 કેસ, નવસારી અને વડોદરામાં 2-2 કેસ, ગાંધીનગર, જામનગર અને રાજકોટમાં 1-1 કેસ નોંધાયો છે

(8:42 pm IST)