Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

નર્મદા જિલ્લામાં સોમવારે ૧૦ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા : કુલ આંક ૯૩૬ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે જિલ્લામાં સોમવારે નવા ૧૦ દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે.
આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં રવિવારે ૧૦ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા નવા ફળીયા-૦૧,નાંદોદ તાલુકાના લાછરસ-૦૩,વડીયા-૦૧,ભદામ-૦૧ અને પાટણા-૦૧ ગરુડેશ્વરના કે.કોલોની-૦૧ તિલકવાડા ના બૂંજેઠા-૦૨ સહિત નર્મદા જિલ્લામાં કુલ ૧૦ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૧૯ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૧૫ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશન માં ૦૫ દર્દી દાખલ છે આજે ૧૧ દર્દી સાજા થતા રજા અપાઈ છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૮૯૪ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૯૩૬ પર પહોચ્યો છે.આજે વધુ ૪૮૫ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(7:26 pm IST)