Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

અમદાવાદના સિંધુ ભવન રોડ પર મનપાની આકરી કાર્યવાહી : સાત યુનિટોને સીલ કર્યા

દેવરાજ ફાર્મ, બીસ્મીલ્લા ફાસ્ટફૂડ, ધ પુટનીર, SBR ગ્રેસ કાફે, તેમ જ ગોતા ખાતેની હોટલ પંજાબ માલવા સીલ

અમદાવાદ: શહેરના એસ.જી હાઈવે, સિંધુ ભવન રોડ પર રાત્રે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સોલીડ વેસ્ટ વિભાગે સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરીને કોવિડ 19ની ગાઇડલાઇનનો ભંગ બદલ સાત યુનિટોને સીલ કર્યા હતા જેમાં દેવરાજ ફાર્મ, બીસ્મીલ્લા ફાસ્ટફૂડ, ધ પુટનીર, SBR તેમજ આનંદનગર રોડ પર આવેલી ક્લોવ્સ રેસ્ટોરન્ટ ઉપરાત સિંધુ ભવન રોડ પર આવેલ ગ્રેસ કાફે, તેમ જ ગોતા ખાતે આવેલી હોટલ પંજાબ માલવાને સીલ કરાયા હતા

 AMC દ્વારા વખતો વખત જાહેરાત કરવા છતાં નિયમોનું પાલન કરવામાં સંચાલકો નિષ્ફળ જતાં હોવાનું ધ્યાને આવ્યું છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તરફથી રવિવારે એસ,જી, હાઇવે, સિંધુ ભવન રોડ, આઇઆઇએમ રોડ વગેરે સ્થળોએ યુવાનો એકઠા થાય છે. તેઓ માસ્ક પહેરતા નથી અને સોશિયલ ડિસ્ટનસિંગ જાળવતા નહિ હોવાથી તેમને નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી. રવિવાર રાત્રે કોર્પોરેશન નું સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ ત્રાટક્યું હતું. કોવિડ 19ની ગાઇડલાઈનનો ભંગ કરનારા યુનિટોને સીલ કરી દીધા હતા.

આ યુનિટોને અપાયેલી નોટીસમાં જણાવ્યું છે કે, હાલમાં કોવિડ 19 મહામારી ફેલાતી રોકવા અંગે સરકાર તરફથી વારંવાર ગાઇડલાઇન્સ તેમ જ નિયમો જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ આપના ધંધાના સ્થળે કોવીડના નિયમોનું ઉલ્લંઘન માલૂમ પડયું છે. આથી આપનું આ યુનિટ સીલ કરવામાં આવે છે. આપના ધંધાના સ્થળે લગાવેલ સીલને સક્ષમ સત્તાની મંજુરી વગર ખોલવુ કે ખોલાવવું કે પછી છેડછાડ કરવી તે કાનૂની ગુનો બને છે. જો તેમ કરવામાં આવશે તો કસુરવાર સામે એપેડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

(11:06 am IST)