Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

લવ જેહાદને રોકવા પાર્ટી પ્લોટોની બહાર વીએચપી-બજરંગ દળ દ્વારા સ્ટીકરો લગાવાયા : આયોજકોને ચાંપતી નજર રાખવા કહેણ

અમદાવાદમાં 20 જેટલી બજરંગદળની ટીમ પણ બનાવાશે : લવ જેહાદ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવાશે

 

અમદાવાદ : નવરાત્રીની શરુઆત થવા જઈ રહી છે ત્યારે વીએચપી-બજરંગ દળ દ્વારા અમદાવાદ શહેરમાં આવેલ પાર્ટી પ્લોટોમાં લવ જેહાદથી સાવધાનના બોર્ડ અને સ્ટીકરો લગાવી દીધા છે

  . ગુજરાતની ઓળખ એટલે નવરાત્રી અને નવરાત્રી જ્યારે પણ આવતી હોય છે ત્યારે અનેક હિન્દુ સંગઠનો લવ જેહાદને રોકવા માટે જાગૃતિ ફેલાવતા હોય છે.

  વર્ષે વીએચપી બજરંગ દળના કાર્યકર્તાઓએ લવ જેહાદને રોકવા માટે પાર્ટી પ્લોટોની બહાર લવ જેહાદથી સાવધાનના સ્ટીકરો લગાવ્યા હતા.તેમજ ગરબા આયોજકોને પણ પાર્ટી પ્લોટોમાં આવતા છોકરાઓ ઉપર ચાપતી નજર રાખવા જણાવ્યુ હતુ.

  અમદાવાદમાં 20 જેટલી બજરંગદળની ટીમ પણ બનાવવામાં આવશે. બજરંગદળના અમદાવાદ શહેર પ્રમુખ જ્વલીત મહેતાએ જણાવ્યુ હતુ કે દેશમાં દર વર્ષે 3 લાખથી વધુ લવ જેહાદના કિસ્સાઓ સામે આવતા હોય છે અને તે નવરાત્રી અને વેલેન્ટાઈન ડેના દિવસોમાં વધુ બનતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને લવ જેહાદ અંગે લોકોમાં જાગૃતિ ફેલાય તે જરુરી છે.

(11:39 pm IST)