Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

ભગવાનની દયાથી આ વર્ષે રાજયમાં વરસાદ સારો હજુ લીલા દુકાળના કોઈ જ એંધાણ નથી: મુખ્યમંત્રી

 

અમદાવાદ : ગુજરાત રાજયમાં પડેલા ભારે વરસાદ અને હજુ પણ ભાદરવો ભરપૂર જઇ રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ વરસાદની સ્થિતિ અંગે જણાવ્યુ હતું કે, ભગવાનની દયાથી વર્ષે રાજયમાં વરસાદ સારો છે, હજુ રાજયમાં લીલા દુકાળના કોઈ એંધાણ નથી. વર્ષે રાજયમાં 125 ટકાથી વધુ વરસાદ થયો છે. ઘણા જીલ્લામાં પાકને વરસાદ ને કારણે થોડું ઘણું નુકશાન થયું છે.

ઉપરાંત વધુમાં તેમણે કહ્યું હતું કે, રાજ્યના મહેસૂલ અને નાણાં વિભાગમાં હાલમાં ફાઈલોના ખડકલા જોવા મળી રહ્યા છે. તે અંગે વહેલી તકે કાર્યવાહી કરવા અંગે તેમણે અધિકારી સામે લાલ આંખ કરી હતી અને કહ્યું હતું કે, પેન્ડિંગ ફાઇલ રહેતા લોકોના કામ અટવાઈ જાય છે. અને કાર્યાલયમાં ફાઇલ નો ખડકલો જોવા મળે છે.

(11:37 pm IST)