Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

વડોદરાના નવાપુરામાં 400થી વધુ મકાનો જર્જરિત હાલતમાં: ત્રણ મજલી મકાન ધરાશાયી થતા ત્રણ પરિવારનો આબાદ બચાવ

વડોદરા:શહેરમાં ચાર દરવાજા અને આસપાસના વિસ્તારોમાં ગાયકવાડી સમયના ૪૦૦ થી વધુ મકાનો જોખમી બન્યા છે અને અવાર-નવાર મકાન ધરાશાયી થવાના બનાવો બની રહ્યા છે.આજે વહેલી સવારે નવાપુરા વિસ્તારમાં ત્રણ મજલી મકાનનો આગળનો ભાગ ધરાશાયી થતાં ત્રણ પરિવારનો બચાવ થયો હતો.

 પ્રાપ્ત  વિગતો મુજબ ખારવાવાડ મરાઠી મહોલ્લામાં આવેલા ત્રણ મજલી મકાનમાં   નીચેના ભાગે અરવિંદ પોથીવાલા  અને રવિ ડાંગેના પરિવાર રહે છે.જ્યારે,ઉપરના માળે ચન્દ્રકાન્ત ડાંગેનું પરિવાર રહે છે.

(5:32 pm IST)