Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

હવે રાજ્યભરમાં બિનખેતીની પ્રક્રિયા ઓનલાઇન કરાશે

જમીન રી-સર્વે કામગીરીમાં ખેડૂતોને વિશ્વાસમાં લઈને તમામ વાંધા 31મી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરાશે ;સૂચિત સોસાયટીઓને નિયમિત કરાશે

 ગાંધીનગરઃ હવે સમગ્ર રાજયમાં બિનખેતીની પ્રક્રિયા ઓનલાઇન કરવા તૈયારી થઇ રહી છે ગાંધીનગરમાં જિલ્લા કલેકટરોની ત્રિમાસીક રીવ્યુ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જમીન રી-સર્વે કામગીરીમાં ખેડૂતોને વિશ્વાસમાં લઈ તમામ વાંધાઓ 31 ડિસેમ્બર 2018 સુધીમાં પૂર્ણ કરાશે.સાથે બિન ખેતી (NA)ના પાયલોટ પ્રોજેક્ટની સફળતાને પરિણામે આગામી સમયમાં રાજ્યભરમાં ઓન લાઈન NA પ્રક્રિયા હાથ ધરાશે.

  બેઠક બાદ મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકો અને ખેડૂતો માટે અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં રાજ્યમાં ઓન લાઈન એન.. (બિન ખેતી)નો અમદાવાદ-ગાંધીનગર ખાતે હાથ ધરાયેલ પાયલોટ પ્રોજેક્ટની સફળતાને ધ્યાને લઈ પ્રોજેક્ટ આગામી સમયમાં રાજ્યભરમાં લાગુ કરાશે.

  ગાંધીનગરમાં રાજ્યના તમામ જિલ્લા કલેકટરોની ત્રિમાસિક કોન્ફરન્સમાં મહેસૂલ મંત્રીએ મહેસૂલી નિર્ણયોમાં ઝડપી અમલ થાય તથા તેના લાભો સત્વરે લોકોને મળે તે બાબતોને અગ્રીમતા આપવા સૂચનાઓ આપી હતી.

   સાથે તેમણે કહ્યું છે કે, જમીન રી-સર્વેની કામગીરીમાં પણ પ્રમોલગેશનની કામગીરી પૂર્ણ કરાઈ છે ત્યાં જે વાંધાઓ આવ્યાં છે ત્યાં ખેડૂતોને વિશ્વાસમાં લઈને 31 ડિસેમ્બર 2018 સુધીમાં ન્યાયીક ઉકેલ લાવવા તમામ જિલ્લા કલેકટરોને સુચના આપવામાં આવી છે. સાથે જમીન માપણી સાથે સંકળાયેલ એજન્સીઓની ગેરરીતીની તપાસ પણ થઈ રહી છે.

   રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં સૂચિત સોસાયટીઓને નિયમિત કરવાનો ઐતિહાસીક નિર્ણય કર્યો છે. જેના અનસુંધાને લોકોને જાગૃત કરવા માટે સાંસદો, ધારાસભ્યો, સ્થાનિક પ્રતિનિધિઓ અને જિલ્લા કલેકટરો દ્વારા સઘન પ્રયાસો કરવા જણાવાયું છે.સાથે ખેડૂતોના 12 જેટલા મહત્વના જમીનના પાયાના દસ્તાવેજોની એન્ટ્રી પણ સમયસર થાય તે માટે ખાસ ધ્યાન કેન્દ્રીત કરવા સૂચનાઓ અપાઈ છે.
 
સરકારી પડતર જમીન જે વિવિધ હેતુઓ માટે આપવા કિંમત નક્કી કરવાની નવી ફોર્મ્યુલા રાજ્ય સરકારે અમલી બનાવેલ છે. તેનો ઝડપથી અમલ કરીને આવનાર સમયમાં બાકી કેસોનો સત્વરે નિકાલ થાય તેવા આદેશો પણ કલેકટરોને આપવામાં આવ્યા છે.

(12:49 am IST)