Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

કલોલના કલ્યાણપુર વિસ્તારમાં વૃધ્ધે કેરોસીન છાંટી આપઘાત કરતા ચકચાર

કલોલ:ના કલ્યાણપુરા વિસ્તારમાં રહેતા વૃધ્ધાએ શરીરે કેરોસીન છાંટી સળગી જઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. થોડા સમય અગાઉ પુત્રનું અવસાન થયું હતું અને ત્યારબાદ પોતાના સગાભાઇનું પણ અવસાન થતાં લાગી આવતા વૃધ્ધાએ આપઘાત કર્યો હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે.

કલોલના કલ્યાણપુરા વિસ્તારમાં આવેલી વિજયનગર સોસાયટીમાં રહેતા ૮૭ વર્ષિય વૃધ્ધાએ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. શશીબેન મનુભાઇ નાયકની પુત્રી મેડીકલ સ્ટોરમાં દવા લેવા ગઇ હતી. તેમજ વૃધ્ધાના પતિ પમ બહાર ગયા હતા. તે વખતે ઘરમાં એકાંત મળતા શશીબેને શરીરે કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દીધી હતી.

(5:12 pm IST)