Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

રીક્ષા સાથે ગૂમ થયેલ આણંદના યુવાનની લાશ નહેરમાંથી મળી આવતા તપાસ શરૂ

આણંદ:શહેરના ભાલેજ રોડ ઉપર આવેલી રીલીફ સોસાયટીમાં રહેતા અને ગત ૨૬મી તારીખના રોજ રીક્ષા સાથે ગુમ થઈ ગયેલા આરીફભાઈ નુરમોહંમદભાઈ વ્હોરાની લાશ લાંભવેલ પાસેની નહેરમાંથી મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. આણંદ રૂરલ પોલીસે લાશનો કબજો લઈને પીએમ કરવાની કાર્યવાહી હાથ ઘરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ગઈકાલે બપોરના સુમારે તેની રીક્ષા સામરખા નહેર પાસેથી મળી આવી હતી રીક્ષામાંથી તેના ચપ્પલ પણ મળી આવ્યા હતા. જેથી એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે તેણે નહેરમાં ઝંપલાવી દીધુ હશે. આજે તેની લાશ મળી આવતાં પોલીસે હાલમાં તો અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 
 

(5:09 pm IST)