Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

સુરત :ગણેશ વિસર્જન બાદ રઝળતી પ્રતિમાઓને હજીરા ઓવારામાં બહાર કાઢીને પૂજા-આરતી કરી વિસર્જન કરાયું

100થી વધુ યુવાનોએ 1500થી 2000 મૂર્તિઓને બહાર કાઢી

 

સુરત :ગણેશ વિસર્જન બાદ ગણેશજીની રઝળતી પ્રતિમાઓનું હજીરા ઓવારા ખાતે પૂજા અને આરતી કરીને વિસર્જન કરવામાં આવ્યું હતુ.

   RSSના સ્વયંસેવકો તથા અન્ય સામાજિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા રઝળતી મૂર્તિઓનું નિરિક્ષણ કરી આશરે 100 થી વધુ યુવાનોએ સવારે 6 થી 11 વાગ્યે સુધીમાં 1500 થી 2000 મૂર્તિઓને બહાર કાઢી હતી

(10:32 pm IST)