Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

બોરસદના નાપા ગામ નજીક બે પરિણીત પ્રેમી પંખીડાએ સમાજના ડરથી નદીમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું

આણંદ:જિલ્લાના બોરસદ તાલુકાના નાપા ગામે રહેતા બે પરિણીત પ્રેમી પંખીડાએ આ જન્મમાં એક નહી થઇ શકતા સાથે મરવાનો નિર્ણય કર્યો હતો.૨૫ મી તારીખે ઘરેથી નીકળી ગયા પછી બંનેએ મહીસાગર નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો.આજે સવારે બંનેની લાશ પાણીમાં તરતી દેખાતા સ્થાનિક રહીશોએ પોલીસને જાણ કરી હતી.વડોદરા તાલુકા પોલીસે બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આજે સવારે સિંઘરોટ નજીક મહીસાગર નદીના પાણીમાં એક યુગલની તરતી લાશ જોઇને સ્થાનિક રહીશોએ વડોદરા તાલુકા પોલીસને જાણ કરી હતી. એ.એસ.આઇ.સુરેખાબેને સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી.બંને લાશને પાણીની બહાર કાઢીને તપાસ કરતા પુરૂષના પેન્ટમાંથી મોબાઇલ ફોન મળી આવ્યો હતો.મોબાઇલની પાછળ એક ડ્રાયવિંગ લાયસન્સ હતું.તેના આધારે પોલીસે તપાસ કરતા મરનારનું નામ સિકંદર ઉર્ફે સોહિલ શરીફખાન રાણા  જ્યારે મરનાર યુવતી આલીશા ઝુબેરભાઇ રાણા (બંને રહે.નાપા વાંટા,તા.બોરસદ,જિ.આણંદ) હોવાની જાણ થઇ હતી.વડોદરા તાલુકા પોલીસે બોરસદ પોલીસને આ અંગે જાણ કરી હતી.

(5:41 pm IST)