Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

સરકારી યોજનાઓના લાભ છેવાડાના ગામો સુધી પહોંચાડીએ : મનોજ દક્ષિણી

આણંદ જિલ્લામાં સમીક્ષા પ્રસંગે કલેકટરનો અનુરોધ

રાજકોટ,તા. ૨૮ : આણંદ જિલ્લામાં વર્તમાન રાજ્ય સરકારના ૫ વર્ષની ઉજવણી પ્રસંગે યોજાનાર કાર્યક્રમો સંદર્ભે જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણીએ જિલ્લાના અધિકારીઓની બેઠક યોજેલ. જેમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના ગામો અને છેવાડાના માનવીઓ સુધી પહોંચાડવા વહીવટી તંત્રને અનુરોધ કર્યો હતો.

વિજયભાઇ રૂપાણીની સરકારને  ૫ વર્ષ પૂરા થતા તા. ૧ થી ૯ ઓગસ્ટ સુધી અલગ -અલગ કાર્યક્રમો યોજાનાર છે. મહિલા સશકિતકરણ દિન, યુવાશકિત દિન, ધરતીપુત્ર સન્માન દિન, જ્ઞાનશકિત દિન, જનસુખાકારી દિન, વિશ્વ આદિવાસી દિવસ વગેરેની ઉજવણી થનાર છે. તમામ કાર્યક્રમો સારી રીતે પાર પાડવા માટે કલેકટર શ્રી મનોજ દક્ષિણીએ સમીક્ષા કરી માર્ગદર્શન આપ્યુ હતું.

બેઠકમાં નિવાસી અધિક કલેકટર, પી.સી.ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી, બી.જી.પ્રજાપતિ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:53 pm IST)