Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી:NDRFની ટીમ સ્ટેન્ડબાય ડીપ્લોય કરવા સૂચના આપી

અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટ્મ શક્રિય થવાથી ફિશરમેન વોર્નિંગ પણ જાહેર

ગુજરાતમાં હવામાન વિભાગના(IMD)જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસના ભારે વરસાદ પડી શકે છે. જેમાં સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેરની આગાહી છે. જેમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, મહીસાગર,સાબરકાંઠા અને ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 28 જૂનથી 1 જુલાઈએ વરસાદનું જોર વધશે. તેમજ હાલ અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટ્મ શક્રિય થવાથી ફિશરમેન વોર્નિંગ પણ જાહેર કરવામાં આવી છે. તેમજ રાજ્યમાં જૂન મહિનામાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 1 જુલાઇથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગાંધીનગર ખાતે આજે રાહત કમિશ્નરના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ હતી, જેમાં IMDના અધિકારી એમ. મોહન્તીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મઘ્યમ વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે તેમજ તા. 30  જૂન થી 02  જુલાઈ દરમિયાન નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે તા. 27 જુન સુધીમાં અંદાજિત 19,67, 822 હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે તથા ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 25,02,288 હેક્ટર વાવેતર થયેલ હતું.

સિંચાઇ વિભાગના જણાવ્યા અનુસાર સરદાર સરોવર જળાશયમાં 1,48, 358 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશકિતના 44. 41 ટકા છે. રાજ્યનાં 206 જળાશયોમાં 1,85, 719 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશકિતના 33. 27 ટકા છે. હાલમાં રાજ્યમાં કોઈ જળાશય એલર્ટ કે હાઇ એલર્ટ પર નથી.

 

ચર્ચા દરમિયાન રાહત કમિશનરએ NDRF અને SDRFની ટીમોને ડીપ્લોયમેન્ટ કરવા માટે રાજ્યમાં આગામી વરસાદની આગાહીને ધ્યાને લઈ ગીર સોમનાથ જિલ્લામાં એક NDRFની ટીમ સ્ટેન્ડબાય ડીપ્લોય કરવા સૂચના આપી હતી. રાહત કમિશનરએ બેઠક દરમિયાન આગામી સપ્તાહમાં થનાર વરસાદની આગાહીને ધ્યાને લઈ હાજર રહેલ તમામ વિભાગના અધિકારીઓને તથા સમગ્ર તંત્રને એલર્ટ રહેવા સૂચન કર્યું હતું.

રાહત કમિશનર દ્વારા GSDMAને વીજળી પડવાથી થતા સંભવિત નુકશાન અંગે સાવચેતીનાં પગલાં ભરવા અંગે વિવિધ મીડિયા મારફતે લોકજાગૃતિ કેળવવા સૂચન કર્યું હતું. આ બેઠકમાં ઉર્જા, માર્ગ અને મકાન, GSRTC,સી.ડબલ્યુ.સી, ઇસરો, કોસ્ટ ગાર્ડ, પંચાયત વિભાગ, ફિશરીઝ, પશુપાલન, ફોરેસ્ટ, GMB, GSDMA અને માહિતી વિભાગ સહિતના અઘિકારીઓ હાજર રહ્યાં હતાં.

(9:18 pm IST)