Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

વડોદરાની પ્રદુષિત વિશ્વામિત્રી નદીમાં ત્રણ દિવસમાં 2 મગર મૃત હાલતમાં મળતા ચકચાર

વિશ્વામિત્રીમાં ઠલવાતું ગટર અને પ્રદુષિત પાણી મગરો માટે જીવલેણ

વડોદરા : વિશ્વામિત્રી નદીમાં લાંબા સમયથી પ્રદુષિત પાણી ઠાલવવામાં આવતા ગટર અને પ્રદુષિત પાણી મગરો માટે હવે જીવલેણ સાબીત થતું હોય તેવુ લાગી રહ્યું છે. ચોમાસાની શરૂઆતમાં પ્રદુષિત થયેલી વિશ્વામિત્રી નદીમાંથી છેલ્લા ત્રણ દિવસમાં 2 મૃત મગરો મળી આવ્યાં છે.

શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગરો વસવાટ કરે છે. વિશ્વામિત્રી નદી મગરોનુ ઘર બની ગયું છે. ત્યારે મોટી સંખ્યામાં જોવા મળતા મગરોની સલામતી અને સુરક્ષા માટે તંત્ર દ્વારા કોઇ તકેદારીના પગલા લેવામાં આવતા હોય તેવુ દેખાતું નથી. ચોમાસુ શરૂ થતાં વિશ્વામિત્રી કાંઠા વિસ્તારોમાં મગરો દેખા દેતા હોય છે.

2 Attachments

(11:53 pm IST)