Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

રાજપીપળા લક્ષ્મીનારાયણ મંદિર ની ચાલ જર્જરિત,ત્યાં રહેતા 8 જેવા પરિવારો પર મંડરાતું જોખમ

હિન્દુ દેવસ્થાન કમિટી હસ્તક આવતા ઘણા મંદિરો જર્જરીત હાલતમાં હોય તેની મરામત નહિ કરાઇ તો જીવલેણ સાબિત થઈ શકે છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા દરબાર રોડ પર આવેલું લક્ષ્મી નારાયણ મંદિરની ચાલી અત્યંત જર્જરિત હાલતમાં હોય વારંવાર ઉપરથી જૂનો કાટમાલ પડતા ત્યાં રહેતા 8 જેવા પરિવારો પર જોખમ જોવા મળી રહ્યું છે,અગાઉ ત્યનો એક ભાગ પડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયાં હતાં.જોકે બે વર્ષથી સ્થાનિકો આ બાબતે પાલીકા તંત્રને જાણ કરતા હોવા છતાં હજુ કોઈ જ કાર્યવાહી થઈ ન હોવાથી સ્થાનિક સદસ્ય પ્રગનેસ ભાઈ રામીએ હાલમાં  મકાનનો વિડિઓ પાલિકાના મુખ્ય અધિકારીને મોકલી સત્વરે પગલાં લેવા રજુઆત કરવા છતાં કોઈજ પગલાં ન લેવાતા કોઈનો ભોગ લેવાયા બાદ પાલીકા પગલાં લેશે..? તેવા સવાલો સ્થાનિકોમાં ઉઠ્યા છે. માટે તંત્ર આ બાબતને ગંભીરતાથી લઈ યોગ્ય કામગીરી કરે તેવી માંગ છે

(10:07 pm IST)