Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 22 તાલુકાઓમાં વરસાદ : ડેડીયાપાડા અને જસદણમાં દોઢ ઇંચ ખાબક્યો

વંથલી,લીલીયા,વાલિયામાં, વાંકાનેર અને ગારીયાધારમાં પણ મેઘો મન મૂકીને વરસ્યો

અમદાવાદ : આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી છે ત્યારે રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 22 તાલુકામાં વરસાદ વરસ્યો છે .નર્મદાના ડેડિયાપાડા તાલુકામાં સૌથી વધુ 35 મીમી વરસાદ નોંધાયો છે જ્યારે બીજા નંબર પર રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં 32 મીમી પડ્યો હતો.

 .જ્યારે અન્ય જિલ્લામાં જૂનાગઢના વંથલીમાં 22 મીમી,અમરેલીના લીલીયામાં 19 મીમી, ભરૂચની વાલીયામાં 15 મીમી, મોરબીના વાંકાનેરમાં 14 મીમી, ભાવનગરના ગારીયાધરમાં 10 મીમી વરસાદ નોંધાયો હતો

 

(8:49 pm IST)