Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

પાલનપુર તાલુકાના બાદરગઢ નજીક થયેલ મહિલાના મૃત્યુનું રહસ્ય ખુલ્યું: પતિએજ હત્યા કરી હોવાનું સામે આવતા ચકચાર

પાલનપુર: તાલુકાના બાદરગઢ ગામે ગત તા.૪ જૂન ૨૦૨૧ની રાત્રે ૨૬ વર્ષીય પરણીતા મધુબેન ફલજીભાઈ માજીરાણાનું કોઈ આકસ્મિક મોત થતા મૃતકનું પોસ્ટમોટમ કરાવ્યા વિના જ લાશની સામાજિક રીતે દફનક્રિયા કરવામાં આવી હતી. જોકે મૃતકના મોત કુદરતી નહિ પણ અન્ય કોઈ કારણસર થયું હોવાનું મૃતકના ભાઈ પ્રવીણભાઈ અમરાભાઈ માજીરાણા રહે.બસુ તા.વડગામ વાળાને શંકા જતા તેમને પોતાની બહેનના મોતનું સાચું કારણ જાણવા લાશને બહાર કાઢી તબીબોની પેનલથી પોસ્ટમોટમ  કરવા માટે રજૂઆત કરતા એક સપ્તાહ પહેલા બાદરગઢ ખાતે મામલતદાર,પોલીસ સહિતના અધિકારીઓની ઉપસ્થિતીમાં દફન કરેલ મહિલાની લાશને બહાર કાઢી મૃતદેહને પીએમ અર્થે અમદાવાદ મોકલી અપાયો હતો. જે બાદ ફરિયાદીએ પોતાના બનેવી ફલજી માજીરાણાને સમાધાન કરવાની વાત કરી વિશ્વાસમાં લેતા તેને પોતાની પત્ની સાથે મારામારી કરી ખાટલામાં પાડી દઈ બાદમાં ગળું દબાવી હત્યા કરી હોવાની કબૂલાત કરતા હત્યાને કુદરતી મોતમાં ખપાવવાનું બહાર આવતા પત્નીના હત્યારા પતિ વિરુદ્ધ ગુનો દાખલ કરયો છે.

(5:39 pm IST)