Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

વલસાડ : કોવિડ-19 હોસ્પિટલમાંથી વધુ 3 દર્દીઓને સાજા થતા રજા અપાઈ :કુલ 13 દર્દીઓ થયા રિકવર

હોસ્‍પિટલની ટીમ દ્વારા ફુલોની વર્ષા કરી તેઓને શુભેચ્‍છાઓ પાઠવાઈ

વલસાડ જિલ્લામાં આજે  સિવિલ હોસ્‍પિટલમાંથી વધુ 3 દર્દીઓએ કોરોનાને માત આપતાં હોસ્‍પિટલમાંથી રજા આપવામાં આવી હતી, ત્યારે આજદિન સુધી જિલ્લાના કુલ 13 દર્દીઓ કોવિડ-19માંથી રીકવર થયા છે. આ ત્રણેય દર્દીઓ ઉપર હોસ્‍પિટલની ટીમ દ્વારા ફુલોની વર્ષા કરી તેઓને શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી હતી.

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના રાજપુરી તલાટ ગામના ત્રણેય વ્‍યક્‍તિના સેમ્‍પલ નેગેટીવ આવતાં કોવિડ હોસ્‍પિટલ, સિવિલ-વલસાડ ખાતે સારવાર હેઠળના આજના 3 દર્દીઓ મળી કુલ 13 દર્દીઓને રજા આપવામાં આવી છે

(9:17 pm IST)