Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

ગળતેશ્વર તાલુકાના સરનાલ નજીક મુવાડીના તળાવમાં મગર રહેવાની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ

ગળતેશ્વર:તાલુકાના સરનાલ ગ્રામપંચાયતના પેટા ગામ સુખીની મૂવાડીના તળાવમાં મગર રહેતો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.આ સમાચાર ગ્રામજનોનાં પ્રસરતા ભયનો માહોલ છવાયો છે.ગ્રામજનોએ આ અંગે જંગલ ખાતાને જાણ કરી મગરને રેસક્યુ કરી કાઢી જવા માંગ કરી છે.

તાલુકાના સરનાલ ગ્રામપંચાયતના પેટા ગામ સુખીની મૂવાડી ગામમાં આશરે  ૨૦૦ ની  જનસંખ્યા રહે છે.આ ફળીયા થી ૧૦૦ મીટરના અંતરે એક નાની તલાવડીમાં છેલ્લા એક મહીનાથી એક મગરે દેખા દીધા છે.ગામની નજીકના ખેતરોમાં ઉનાળુ બાજરી છે,તલાવડીમાં બારેમાસ ગટરનુ પાણી ભરેલુ રહે છે.તેમજ ચોમાસા દરમ્યાન વધુ વરસાદ પડે ત્યારે તળાવ નાનુ હોવાથી પાણી ઓવરફલો થઇ ઘરો સુધી આવી જાય છે.

(6:07 pm IST)