Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

માર્કેટયાર્ડો માટેના નવા કાયદામાં સુધારો કરાવવા ચેરમેનો મુખ્યમંત્રીને મળશે

ગાંધીનગર,તા.૨૮: રાજ્ય સરકારે માર્કેટયાર્ડોને લગતો નવો કાયદો કર્યો છે. તે કાયદોને યાર્ડ સાથે સંકળાયેલા સહકારી આગેવાનોએ પ્રતિકુળ ગણાવી વિરોધ કર્યો છે. આજે સાંજે દરેક યાર્ડના ચેરમેનો આ બાબતે મુખ્યમંત્રીને મળનાર છે.

વટહુકમથી બનેલા નવા કાયદાથી ખેડૂતના હિતને નુકશાન થશે. વેપારીઓ યાર્ડની બહાર જઇને ધંધો કરશે. યાર્ડને શેષ ફીની આવકની ખોટ જશે. યાર્ડો મુશ્કેલીમાં મુકાશે. ખેડૂતો સાથે છેતરપીંડી થવાની શકયતા વધશે. વગેરે પ્રકારની રજુઆત મુખ્યમંત્રી સમક્ષ કરી કાયદામાં સુધારો કરવાની માંગણી કરવામાં આવશે.

(4:04 pm IST)