Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

કાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સુરતમાં : ત્રણ કાર્યક્રમમમાં રહેશે ઉપસ્થિત

સુરત : કાલે મંગળવારે રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ સુરતની મુલાકાતે આવનાર છે તેઓ ડોનેટ લાઈફ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિનિવર્સિટીનાં 49માં પદવીદાન સમારોહમાં પણ હાજરી આપશે.તેમજ અડાજણમાં માનવરત્ન એવોર્ડ સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે.

   રાષ્ટ્રપતિ સવારે 11 કલાકે સરસાણા ખાતે આવેલા કન્વેન્શન હોલ ખાતે ડોનેટ લાઈફ દ્વારા આયોજિત બ્રેન્ડેડ દર્દીઓનાં અંગદાતા પરિવારનાં સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેશે. 11.50 કલાકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં 49માં પદવીદાન સમારોહમાં હાજરી આપશે. બપોરે 3.15 કલાકે અડાજણ વિસ્તારમાં આવેલા સંજીવ કુમાર ઓડોટોરિયમ હોલ ખાતે સંતોકબા માનવરતત્ન એવોર્ડ સંભરોહમાં ઉપસ્થિત રહેશે.

(8:40 pm IST)