Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

પાંચ વર્ષથી વધુ સમયથી એક જ સ્‍થળે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની બદલી કરવા પોલીસ વડાનો આદેશ

રાજકોટ, તા. ર૮ :  રાજયના કોઇપણ પોલીસ સ્‍ટેશનમાં ૫ વર્ષથી પણ વધુ સમયથી જો કોઇ પોલીસ કર્મચારી ફરજ બજાવતાં હોય તો તેવા તમામની તાત્‍કાલીક બદલી કરવા આજરોજ પોલીસ વડા શ્રી શિવાનંદ ઝાએ આદેશ કર્યો છે.

લાંબા સમય સુધી કોઇ કર્મચારી એક જ સ્‍થળે ફરજ ન બજાવે તે અંગેના નિયમોને આધારે પોલીસ વડાશ્રીએ તમામ એસ.પી અને સી.પીને આવા કર્મચારીઓની ૧૫ જૂન સુધીમાં કર્મચારીની પસંદગીની અન્‍ય ૫ જગ્‍યાઓ પૈકી કોઇ એક સ્‍થળે બદલી કરવા હુકમ કરેલ છે. જો કે સંતાનોના અભ્‍યાસ સહિતાના યોગ્‍ય કારણા  હોય તો આવા કર્મચારીઓને ચાલુ રાખવા સંબંધીત પોલીસ અધીક્ષક કે પોલીસ કમિશનર ભલામણ કરી શક્‍શે.

શહેર કે જીલ્લામાં પોલીસ સ્‍ટેશન અથવા ખાસ શાખાઓ ખાતાનાં જે કર્મચારીઓ છેલ્લા વર્ષ થી એક જ સ્‍થળે ફરજ બજાવેલ છે તેવા તમામ કર્મચારીઓની ૧૦ જુન સુધીમાં અન્‍ય યોગ્‍ય સ્‍થળે બદલી કરવા પોલીસ વડા શિવાનંદ ઝાએ ં તાકીદ કરેલ છે.

 

(4:51 pm IST)