Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

૧૫ જૂનથી અમદાવાદ - ઇંદોર ૧૯ સીટરની વિમાન સેવા : ભાડુ ૩૫૦૦

અમદાવાદ : ૧૫ જૂનથી ઇન્દોરથી અમદાવાદ વચ્ચે નવી ૧૯ સીટર વિમાન સાથે ફલાઇટ શરૃ થશે. આ ફલાઇટ રાતે ૮.૦૫ વાગ્યે અમદાવાદથી રવાના થશે અને ૯.૧૦ વાગ્યે ઇન્દોર આવશે તથા રાતે ૯.૩૫ વાગ્યે ઇન્દોરથી રવાના થશે અને ૧૦.૪૦ વાગ્યે અમદાવાદ પહોંચશે.  ફલાઇટ રવિવારે નહીં ચાલે. તે સોમવારથી શનિવાર સુધી જ ચાલશે. અત્યારે ઇન્દોરથી અમદાવાદ વચ્ચે જેટ એરવેઝની ફલાઇટ ચાલે છે. ભાડુ ૩૫૦૦ રહેશે.

 

(4:11 pm IST)