Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

ગંદા પાણીને ચોખ્‍ખુ કરી ફરી ઉપયોગ, સરકારની નવી રીસાઇકલીંગ પોલીસી

વડોદરા, તા.૨૮: વડોદરાના છાણી ખાતેના જળસંચય કાર્યક્રમમાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્‍યું હતું કે, ‘ડ્રેનેજના પાણી પર પ્રોસેસ કરીને વડોદરા મ્‍યુનિ.કોર્પોરેશન તે પાણીને બીજા ઉપયોગમાં લઇ રહ્યું છે. જે બદલ હું વડોદરાને અભિનંદન આપું છું. એટલુ નહીં, રાજયમાં જળસંચય-જળસંગ્રહની ક્ષમતા વધારવા માટે રાજય સરકાર પણ સોમવારે રાજય માટે વોટર રીસાઇકલીંગ પોલિસી બહાર પાડશે. જેના દ્વારા ગટરના ગંદા પાણીને શુદ્વ કરીને ખેતી, ઉદ્યોગો અને બાંધકામ ક્ષેત્રે ઉપયોગમાં લેવાશે.'

વિજય રૂપાણીએ ઉમેર્યુ હતું કે, દરિયાના ખારા પાણીને મીઠું કરવા માટે ઇઝરાયલની જેમ ગુજરાતમાં પણ જોડીયા ખાતે રૂ.૭૦૦ કરોડના ખર્ચે ડીસેલીનેશન પ્‍લોટ નિર્માણ થતાં રોજનુ ૧૦ કરોડ લિટર પીવાનુ શુધ્‍ધ પાણી મળશે. આગામી સમયમાં ભરૂચના દહેજ તેમજ કચ્‍છમાં દરિયાનું ખારૂ પાણી મીઠુ કરવા ડી સેલીનેશન પ્‍લાન્‍ટ સ્‍થાપવામાં આવશે. સુજલામ સુફલામ જળઅભિયાન જન સહયોગથી ભારતનુ સૌથી મોટુ જળઅભિયાન બન્‍યુ છે. જેનુ સમગ્ર રાષ્‍ટ્રમાં ગુજરાત નેતૃત્‍વ લઇ દેશને નવી દિશા ચીંધી છે. સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ સમગ્ર રાજયમાં ૧૩ હજાર તળાવો ઊંડા કરવા. પપ૦૦ કિમી.કેનાલોની સફાઇ તેમજ ભૂતકાળ બની ગયેલ રાજયની ૩૨ નદીઓને પુનઃજીવીત કરવામાં આવી રહી છે. અભિયાનની શરૂઆતમાં પપ૭ જેસીબી હતા, હાલમાં ૪૬૦૦ જેસીબી કામે લાગ્‍યા છે.

 

 

(11:46 am IST)