Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

પ્રદેશ ભાજપના આમંત્રિત કારોબારી સભય અને પ્રદેશ ભાજપના વરિષ્ઠ અગ્રણી દત્તાજી ચિંરદાસનું કોરોનાના કારણે નિધનઃ નરેન્દ્રભાઇ મોદી - વિજયભાઇ રૂપાણી સહિતનાઍ શ્રદ્ધાંજલી અર્પીઃ ૭૨ વર્ષની ઉંમરે ગ્રેજ્યુઍટ થયા હતા

અમદાવાદ: ગુજરાતના પ્રદેશ ભાજપના આમંત્રિક કારોબારી સભ્ય અને પ્રદેશ ભાજપના પીઢ આગેવાન દત્તાજી ચિરંદાસનું કોરોનાને કારણે નિધન થયુ છે. દત્તાજીના નિધનને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઇ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શોક વ્યક્ત કર્યો હતો.

ભાજપના પાયાના કાર્યકર અને ભાજપને ઉંચાઇ પર લઇ જનાર સંગઠનમાં પ્રાણ પુરનાર એવા પીઢ 80 વર્ષીય દત્તાજી ચિરંદાસ કોરોના પોઝિટિવ આવતા તેમણે સારવાર માટે SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોના થયાના બે દિવસમાં જ તેમનું નિધન થયુ હતું.

દત્તાજી ચિરંદાસ ભાજપના વરિષ્ઠ આગેવાન અને માજી GIDC ચેરમેન રહી ચુક્યા છે. દત્તાજીએ વૃદ્ધાવસ્થાની વયે પણ ઉચ્ચ ગ્રેજ્યુએટની પરીક્ષા થોડા વર્ષ પહેલા જ પાસ કરી હતી. દત્તાજીના નિધનથી ભાજપના વરિષ્ઠ આગેવાન તેમજ કાર્યકરોએ શોક વ્યક્ત કર્યો હતો.

72 વર્ષની વયે થયા હતા ગ્રેજ્યુએટ

ભાજપના પીઢ નેતા અને પક્ષની પ્રદેશ કારોબારીના સભ્ય દત્તાજી ચીરંદાસ 72 વર્ષની ઉંમરે ગ્રેજ્યુએટ થયા હતા. માત્ર ધોરણ ચાર સુધી જ ભણી શકેલા દત્તાજીને એક સરકારી નીગમના ચેરમેન બનાવાયા ત્યારે તેમના અભ્યાસ બાબતે થયેલી ટીકાથી તેમને લાગી આવ્યું હતું અને આખરે તેમણે ઓપન યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર વિષય સાથે બીએની ડીગ્રી માટેની પરિક્ષા 54 ટકા સાથે પાસ કરી હતી.

PM-CMએ દુખ વ્યક્ત કર્યુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી લખ્યુ, ગુજરાત ભાજપના વરિષ્ઠ આગેવાન શ્રી દતાજી ચિરંદાસજી ના અવસાનના સમાચાર અત્યંત આઘાતજનક છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના વિકાસમાં એમનું યોગદાન સદાય સ્મરણીય રહેશે. પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને ચિર શાંતિ બક્ષે એ જ પ્રાર્થના…

(4:48 pm IST)