Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

અમદાવાદમાં પણ જરૂરી ચીજવસ્તુઓ સિવાયની દુકાનો બંધ

સરકારે નવી ગાઈડલાઈન બહાર પાડતા હાલ અગત્યની તથા આવશ્યક ચીજવસ્તુઓ સિવાય તમામ દુકાનો બંધ કરવાના તાકીદ કરી છે ત્યારે અમદાવાદનું સૌથી મોટું લાઠી બજાર સદંતર બંધ છે. કોરોનાની મહામારીને નાથવા અને કોરોનાની ચેઈન તોડવા માટે સરકાર દ્ઘારા લેવામાં આવેલા પગલાંના ભાગ રુપે મોટાભાગના બજારો બંધ જોવા મળ્યા છે. જોકે મેડિકલ સ્ટોર,કરિયાણાની દુકાન,અનાજ દળવાની ધંટી જેવી આવશ્યક ચીજવસ્તુઓ ખુલ્લી રાખવામાં આવી છે જેથી સામાન્ય પ્રજાને આવશ્યક ચીજવસ્તુઓ માટે મુશ્કેલી ન પડે.(ગૌરવ ખત્રી,અમદાવાદ)

(3:29 pm IST)