Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

અમદાવાદના રામોલ અને કાલુપુર પોલીસે શરૂ કરેલા આઈસોલેશન વોર્ડ બંધ કરાયા

24 કલાક ડોક્ટરની વ્યવસ્થા નહીં હોવાથી બંધ કરી દેવા પોલીસ કમિશનરનો આદેશ

અમદાવાદ : અમદાવાદના રામોલ અને કાલુપુર પોલીસ  દ્વારા યોગ્ય વ્યવસ્થા વગર શરૂ કરવામાં આવેલા આઇસોલેશન વોર્ડ તાત્કાલિક અસરથી બંધ કરી દેવા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે આદેશ આપ્યો છે. આ આઇસોલેશન વોર્ડમાં 24 કલાક ડોક્ટરની વ્યવસ્થા પણ નહીં હોવાથી તે બંધ કરી દેવા આદેશ આપ્યો છે.

પોલીસ કર્મચારીઓમાં કોરોનાનું સંક્રમણ વધી ગયું હોવાની પોલીસ કમિશનરે ગંભીરતાથી નોંધ લઇને શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી જેમાં ફરજ દરમિયાન યોગ્ય તકેદારી રાખવા પોલીસ અધિકારીઓને અને કર્મચારીઓને સૂચના આપી હતી. મહત્વનું છે કે, હાલમાં 422 જેટલા પોલીસ કર્મચારી અને અધિકારીઓ કોરોનાની સારવાર હેઠળ છે.

(1:21 pm IST)