Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

આણંદ તાલુકાના રાજુપુરામાં પાણીની પાઇપ લાઈન લીકેજ થવા બાબતે એક જ પરિવારના ચાર સભ્યો બાખડ્યા:એકને માથામાં લોખંડના પાઇપના ફટકા મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

આણંદ: તાલુકાના રાજુપુરા તાબે રઈજીપુરા ખાતે ગત ૨૫મી તારીખના રોજ સવારના સાડા આઠેક વાગ્યાના સુમારે પાણીની પાઈપ લીકેજ થઈ જવા બાબતે એક પરિવારના ચાર સભ્યોએ ઝઘડો કરીને એકને માથામાં લોખંડની પાઈપ મારીને ગંભીર ઈજાઓ પહોચાડતા તેને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમા લઈ જવામાં આવ્યો હતો. અંગે વાસદ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ફરિયાદી રમીલાબેન કનુભાઈ ચૌહાણ રઈજીપુરાના આશાપુરા માતાના મંદિર પાસે રહે છે. તેમના ઘર પાસેથી રમેશભાઈ રાવજીભાઈ ચૌહાણની પીવાના પાણીની પાઈપ લાઈન પસાર થાય છે. ગત ૨૫મી તારીખના રોજ સવારના સાડા આઠેક વાગ્યાના સુમારે રમીલાબેન અને તેમના પતિ કનુભાઈ થાંભલી રોપતા હતા ત્યારે પાણીની પાઈપલાઈન લીકેજ થઈ ગઈ હતી. જેથી રમેશભાઈએ ગમે તેમ બોલતા કનુભાઈએ પાઈપલાઈન રીપેરીંગ કરી આપવાનું જણાવ્યું હતુ. તેમ છતાં પણ ઉશ્કેરાઈ જઈને ગાળો બોલી કનુભાઈના માથામાં લોખંડની પાઈપ મારી દીધી હતી.

(5:43 pm IST)