Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

સુરત: વિદેશથી આવનાર બે યુવાનો હોમ ક્વોરન્ટાઇનની સૂચના ન માની બહાર નીકળતા પોલીસ ફરિયાદ દાખલ

સુરત:વિદેશથી આવ્યા હોય 14 દિવસ હોમ કોરન્ટાઈનની સૂચના હોવા છતાં ઘરની બહાર નીકળેલા વરાછા અને કાપોદ્રાના બે યુવાનો વિરુદ્ધ મહાનગરપાલિકના અધિકારીએ કોરન્ટાઇન ભંગની ફરિયાદ નોંધાવી છે. તેઓ હાલ હોમ કોરન્ટાઇન હોય તે સમયગાળો પૂર્ણ થયા બાદ તેમની પોલીસ ધરપકડ કરી કાર્યવાહી કરશે.

વૈશ્વિક મહામારી બનેલા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા કેન્દ્ર સરકારે જાહેર કરેલી સૂચના મુજબ વિદેશથી આવેલા વ્યક્તિએ તેમનું પરીક્ષણ કરાવી ફરજિયાતપણે 14 દિવસ હોમ કોરન્ટાઇન રહેવાનું હોય છે. જોકે, ઘણા વ્યક્તિ તે બાબતે પણ ગંભીરતા દાખવતા નથી

(5:40 pm IST)