Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

આઇપીએસ ઓફીસરો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં આપશે

લોકોને જીવન જરૂરી વસ્તુઓ સહેલાઇથી મળે તેવી વ્યવસ્થા ગોઠવાશે : આઇપીએસ એશો. દ્વારા મહત્વનો નિર્ણયઃ સેક્રેટરી નરસિંમ્હા કોમાર

રાજકોટઃ પ્રવર્તમાન કોરોના વાયરસ સંદર્ભેની સરકાર દ્વારા ચાલતી લડાઇ અંતર્ગત  વિવિધ સુવિધાઓમાં સરકારને મદદરૂપ થવા માટે આઇપીએસ અધિકારીઓએ એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવાનો નિર્ણય કર્યાનું એસોસીએશનના પ્રમુખ આશીષ ભાટીયા અને નરસિંમ્હા કોમાર જણાવે છે.

એસોસીએશનની બેઠકમાં લોકોને લોકડાઉન દરમિયાન પણ જીવન જરૂરી વસ્તુઓ લોકોને સહેલાઇથી મળે તે માટે તમામ પ્રયત્નો કરવાનો પણ નિર્ણય થયાનુ઼  પ્રમુખ આશીષ ભાટીયા અને સેક્રેટરી નરસિંમ્હા કોમારે જણાવ્યું છે.

(1:15 pm IST)