Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

કોરાના વાયરસના સંકટ સમયે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા એક કરોડનું દાન અપાયું

મુખ્યમંત્રી રાહતનિધિમાં મંદિર ચેરમેન-કલેકટર સંદીપ સાગલે દ્વારા ચેક અપાયો

અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા રૂ. ૧.૦૧ કરોડનું યોગદાન : રાજકોટઃ. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ તીર્થસ્થાન આરાસૂરી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કોરોના સંદર્ભે મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂપિયા એક કરોડ, એક લાખ આપવામાં આવેલ છે. મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ જિલ્લા કલેકટર સંદીપ સાગલે, જિલ્લાના નિવાસી અધિક કલેકટર એલ.બી. બાંભણિયા તથા ટ્રસ્ટના વહીવટદાર ડે. કલેકટર એસ.જે. ચાવડાએ સહાયનો ચેક સરકારને મોકલી દીધેલ છે.

અંબાજી તા. ૨૮ : કોરોના વાયરસના કહેર વચ્ચે દાનની સરવાણી વહેતી થઇ છે ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ૧.૦૧ કરોડનું દાન અપાયું છે,અંબાજી મંદિર ટ્રસ્ટે મુખ્યમંત્રીના રિલીફ ફંડમાં દાન આપ્યું છે મંદિરના ચેરમેન અને કલેકટર સંદીપ સાગલે દ્વારા ચેક અપાયો હતો અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ કોરોના આફતમાં વ્હારે આવીને મદદ આવ્યું છે.

(11:52 am IST)