Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

કોરોના વાયરસ સામે લડવા મુખ્યમંત્રી રાહતનિધિમાં અપાતો ફાળો કરમુકિતને પાત્ર છે: વિજયભાઈ રૂપાણી

મુખ્યમંત્રી રાહતનિધિમાં ઉદાર હાથે ફાળો આપવા સૌ નાગરિકો-પ્રજાજનોને અપિલ કરી

 

ગાંધીનગરઃ મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ વિશ્વવ્યાપી કોરોના વાયરસ કોવિડ-19ના રોગચાળા સામે લડવા અને રોગની અસરોથી થયેલ નુકશાનમાંથી જનજીવન પૂર્વવત કરવાના સહયોગ રૂપે મુખ્યમંત્રી રાહતનિધિમાં ઉદાર હાથે ફાળો આપવા સૌ નાગરિકો-પ્રજાજનોને અપિલ કરી છે.    

 

વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે રાહતનિધિમાં આપવામાં આવતું દાન-ફાળો આવકવેરાની કલમ 80-જી હેઠળ કરમુકિતને પાત્ર છે.   

મુખ્યમંત્રીના સચિવ શ્વિનીકુમારે અંગેની વિગતો આપતાં કહ્યું કે, મુખ્યત્વે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે પોતાના વ્યકિતગત રૂ. લાખની સહાય ફાળામાં આપી છે.     
તદ્દઉપરાંત કેશુભાઇ પટેલના અધ્યક્ષસ્થાને શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી રૂ. કરોડનું દાન મુખ્યમંત્રી રાહત નિધિમાં અપાયું છે.    

કુંડળધામ સ્વામીનારાયણ મંદિર દ્વારા રૂ. રપ લાખ, સરદાર ધામ ટ્રસ્ટ દ્વારા રૂ. ર૧ લાખ અને ખોડલધામ દ્વારા રૂ. ર૧ લાખની સહાય મુખ્યમંત્રી રાહતનિધિમાં આપવામાં આવી છે.

(12:12 am IST)