Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

રાજ્યમાં કોરોના વકર્યો :નવા 407 કેસ નોંધાયા : વધુ 301 દર્દીઓ સ્વસ્થ થયા : આજે એક દર્દીનું મૃત્યુ: કુલ મૃત્યુઆંક 4410 : કુલ 2,63,116 લોકોએ કોરોનાને હરાવ્યો : રાજ્યના 7 જિલ્લામાં એકપણ કેસ નહીં :

રાજ્યમાં આજે અમદાવાદમાં 108 કેસ, સુરતમાં 74 કેસ, વડોદરામાં 63 કેસ,રાજકોટમાં 52 કેસ, આણંદમાં 13 કેસ, ગાંધીનગર અને કચ્છમાં 11 -11 કેસ, ખેડામાં 10 કેસ, જામનગર અને મહેસાણામાં 8 કેસ, સાબરકાંઠામાં 7 કેસ, જૂનાગઢમાં 6 કેસ,મોરબી અને પંચમહાલમાં 5-5 કેસ નોંધાયા :રાજ્યમાં હાલમાં 2363 એક્ટિવ કેસ:જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે અને છેલ્લા કેટલાય દિવસો બાદ ફરી નવા કેસની સંખ્યા 400ને પાર પહોંચી છે આજે રાજ્યમાં કોરોનાના નવા 407 કેસ નોંધાયા છે જયારે આજે વધુ 301 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી હતી તેવામાં ફરીથી નવા કેસ વધવા લાગ્યા છે સરકારે સાવચેતીના પગલાં રૂપે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો બોર્ડરે ચેકપોસ્ટ ઉભી કરીને તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે  આ ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે 

  રાજ્યમાં આજે કોરોનાના નવા 407 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 301 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 2,63,116 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી અમદાવાદમાં એક દર્દીનું મૃત્યુ થયું છે રાજ્યમાં  મૃત્યુઆંક 4410 થયો છે છે  રાજ્યમાં રિકવરી રેટ 97,49 થયો છે

    રાજ્યમાં હાલ 2363 એક્ટિવ કેસ છે, જેમાંથી 32 લોકો વેન્ટિલેટર પર અને 2331 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 2,63,116 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

 રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 407 પોઝિટિવ કેસમાં અમદાવાદમાં 108 કેસ, સુરતમાં 74 કેસ, વડોદરામાં 63 કેસ,રાજકોટમાં 52 કેસ, આણંદમાં 13 કેસ, ગાંધીનગર અને કચ્છમાં 11 -11 કેસ, ખેડામાં 10 કેસ, જામનગર અને મહેસાણામાં 8 કેસ, સાબરકાંઠામાં 7 કેસ, જૂનાગઢમાં 6 કેસ,મોરબી અને પંચમહાલમાં 5-5 કેસ   નોંધાયા હતા

(8:07 pm IST)