Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

વાયુસેનાના પાઇલટને પરત લાવવા માટે જે પણ કરવું પડે તે કરવામાં આવે : પરેશ ધાનાણી

ગાંધીનગર તા. ૨૮ : ભારતીય વાયુસેનાના પાઈલટ અભિનંદન કુમાર સહી સલામત ભારતમાં પરત આવે તે માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના શાહીબાગ ખાતે આવેલા શહીદ સ્મારક ખાતે આ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ઘાંજલિ આપવામાં આવી હતી. ત્યારે આ સભામાં પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, વાયુસેનાના પાઇલટ અભિનંદન કુમારે પરત લાવવા માટે જે પણ કરવું પડે તે કરવામાં આવે તેવી માંગ કરી હતી.

આ પ્રાર્થના સભામાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષ નેતા પરેશ ધાનાણી, કોંગ્રેસના વરિષ્ટ નેતા અર્જુન મોઢવાડીયા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતા. ગુજરાત વિધાન સભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, વાયુસેનાના પાઇલટ અભિનંદન કુમારે પરત લાવવા માટે જે પણ કરવું પડે તે કરવામાં આવે. કોંગ્રેસ હંમેશા આ મુદ્દે સરકારની સાથે જ છે.

(3:38 pm IST)