Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

આણંદ-લાંભવેલ રોડ પર મધ્યરાત્રીના સુમારે રિલાયન્સ મોલમાં તસ્કરોએ ચોરીનો પ્રયાસ કરતા સાયરન વાગતા ભાગદોડ વધી

આણંદ:આણંદ-લાંભવેલ રોડ ઉપર આવેલી ગ્રીડ ચોકડી નજીકના રીલાયન્સ મોલમાં ગઈકાલે મધ્યરાત્રીના સુમારે કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને અંદરથી ચોરી કરી રહ્યા હતા ત્યારે સાયરન વાગતાં ચોરો ભાગ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ હાથ ઘરી હતી પરંતુ કોઈ મળી આવ્યુ નહોતુ

પ્રાપ્ત વિગતો અનુસાર સાંઈબાબા મંદિરની સામે આણંદ-લાંભવેલ મુખ્ય રોડ ઉપર રીલાયન્સ મોલ આવેલો છે જેમાં ગઈકાલે રાત્રીના સુમારે કેટલાક તસ્કરો ઉપરના ભાગે આવેલા એસીને ખસેડીને તેના વાટે અંદર ઘુસ્યા હતા અને ચોરીઓ કરી રહ્યા હતા. દરમ્યાન સાયરન વાગતાં સીક્યુરીટી ગાર્ડ જાગી ગયો હતો અને તેણે બુમાબુમ કરી મુકી હતી. સાથે તસ્કરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જણ પોલીસને કરવામાં આવતાં નાઈટ પેટ્રોલીંગ કરી રહેલી પોલીસની ગાડીઓ રીલાયન્સ મોલ ખાતે પહોંચી ગઈ હતી અને બહારથી લોક દરવાજો ખોલીને મોલની અંદરના તમામ વિભાગો તેમજ ખુણેખુણો ફેંદી નાંખ્યો હતો પરંતુ કોઈ મળી આવ્યુ નહોતુ

 

 

 

(5:01 pm IST)