Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

આંકલાવના આમરોલમાં અપશબ્દો બોલવા બાબતે બે વ્યક્તિ પર ધારિયાથી જીવલેણ હુમલો

આંકલાવ: તાલુકાના આમરોલ ગામની ગણપતપુરા સીમમાં ગઈકાલે રાત્રીના આઠેક વાગ્યાના સુમારે કિશનભાઈ અરજણભાઈ પરમાર, રાહુલકુમાર રમેશભાઈ પરમાર, ધર્મેન્દ્રભાઈ અરજણભાઈ પરમાર તથઆ કરણભાઈ રમેશભાઈ પરમાર ગમે તેવી ગાળો બોલતાં હોય ધનસુખભાઈ અરવિંદભાઈ પઢિયારે ગાળો બોલવાની ના પાડી હતી જેથી ઉશ્કેરાયેલા ચારેય જણાએ ઝઘડો કરીને કિશનભાઈ તથા રાહુલકુમારે પોતાની પાસેના ધારીયાના પુંઠા અરવિંદભાઈ તથા ઉપેન્દ્રભાઈને મારીને ઈજાઓ પહોંચાડી હતીજ્યારે બીજા બે શખ્સોએ વચ્ચે પડનારને ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી

(6:23 pm IST)