Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

રાજ્યમાં કોરોના થાક્યો : વધુ 602 દર્દીઓ સ્વસ્થ થયા: નવા 346 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 2 દર્દીનું મોત :મૃત્યુઆંક 4384 થયો : કુલ 2,52,464 લોકોએ કોરોનાને હરાવ્યો : આજે વધુ 59,893 લોકોને રસી અપાઈ : કુલ 1,55,802 લોકોનું રસીકરણ કરાયું

રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 78 કેસ, વડોદરામાં 81 કેસ, સુરતમાં 50 કેસ,રાજકોટમાં 49 કેસ,ભરૂચ અને ગાંધીનગરમાં 8- 8 કેસ, આણંદ, જામનગર અને સાબરકાંઠામાં 7-7 કેસ,અમરેલીમાં 6 કેસ, ખેડા અને જૂનાગઢમાં 5-5 કેસ નોંધાયા::હાલમાં રાજ્યમાં 3718 એક્ટિવ કેસ: જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે  આજે રાજ્યમાં 353 નવા કેસ નોંધાય છે જયારે આજે વધુ 602 દર્દીઓ રિકવર થયા છે રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા 1000થી ઓછી  થઇ રહી  છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 346 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 602 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 2,52,464 દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં વધુ 2 લોકોના કોરોનાએ ભોગ લીધો છે આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4384 થયો છે  રાજ્યમાં રિકવરી રેટ 96,89 થયો છે

 રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના  રસીકરણનો પ્રારંભ થયેલ છે, આજે કુલ 1268 કેન્દ્રો ઉપર 59,893 વ્યક્તિઓને કોરોના રસી આપવામાં આવી છે, અત્યાર સુધીમાં રાજ્યમાં 1,55,802 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી

  રાજ્યમાં હાલ 3718 એક્ટિવ કેસ છે. જેમાંથી 41 દર્દીઓ વેન્ટિલેટર પર છે  જયારે 3677દીઓ સ્ટેબલ છે,

  રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 1 અને મહીસાગરમાં 1 મળીને કુલ 2 લોકોના કોરોનાથી મોત થયા છે 

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 346 પોઝિટિવ  કેસમાં રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 78 કેસ, વડોદરામાં 81 કેસ, સુરતમાં 50 કેસ,રાજકોટમાં 49 કેસ,ભરૂચ અને ગાંધીનગરમાં 8- 8 કેસ, આણંદ, જામનગર  અને સાબરકાંઠામાં 7-7 કેસ,અમરેલીમાં 6 કેસ, ખેડા અને જૂનાગઢમાં 5-5 કેસ નોંધાયા છે

(7:30 pm IST)