Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

બોરસદ તાલુકાના નાપા તળપળમાં નજીવી બાબતે બે કૌટુંબિક પરિવારો બાખડ્યા:સામસામે હુમલામાં એકની હાલત ગંભીર

બોરસદ:તાલુકાના નાપાડ તળપદ ગામના અગાસ-બોરીયા રોડ ઉપર આવેલા ચીમનપુરા ખાતે ગઈકાલે રાત્રીના સુમારે બે કૌટુંબી પરિવારો વચ્ચે ધારીયા-લાકડીઓથી મારામારી થતાં ચારને ઈજાઓ થવા પામી હતી. જેમાં એકને માથામાં ધારીયું મારતાં હાલત ગંભીર થઈ જવા પામી છે. આ અંગે બોરસદ રૂરલ પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

પ્રવિણભાઈ ઉર્ફે રાવણ ઠાકોરે પેટલાદ રૂરલ પોલીસ મથકે આપેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, તેઓ ગઈકાલે રાત્રીના સુમારે માતાને રાખવા બાબતે પરિવારના સભ્યો સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે રામાભાઈ ચંદુભાઈ ઠાકોર, પુનમભાઈ ચંદુભાઈ ઠાકોર, જયાબેન રામાભાઈ ઠાકોર અને શારદાબેન ચંદુભાઈ ઠાકોરે ગમે તેવી ગાળો બોલીને રામાભાઈએ પોતાની પાસેનું ધારીયું પ્રવિણ ઉર્ફે રાવણને માથામાં મારી દેતાં લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ફસડાઈ પડ્યાં હતાં. પુનમભાઈ લાકડીથી મારવા જતાં પ્રવિણભાઈના સભ્યોએ વચ્ચે પડીને વધુ મારમાથી છોડાવ્યા હતાં.

(5:06 pm IST)